રંગનાથસ્વામી અને રામેશ્વરમ મંદિર ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા છે. વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે એ તમામ મંદિરોમાં દર્શન કરી રહ્યા છે. જેનો રામાયણમાં ઉલ્લેખ છે અને મોદી આ ક્ષેત્રની ભાષાઓ જેમ કે મરાઠી, મલીયાલમ, અને તેલુગુમાં રામાયણના પાઠ સાંભળી રહ્યા છે.
મોદીએ અનુષ્ઠાન દરમ્યાન સંપૂર્ણપણે ઉપવાસ કરે છે અને ફકત નારીયળ પાણી જ લે છે.
રંગનાથસ્વામીનું મંદિર 1356 થી 1565 દરમ્યાન નિર્માણ થયું હતું. અને તેનો ઉલ્લેખ અનેક પ્રાચીન ગ્રંથોમાં છે. મુખ્ય દેવતા રંગનાથસ્વામી એ ભગવાન વિષ્ણુનું સુતુ હોય તેવું સ્વરૂપ છે અને તમિલ કવિ કમ્બ એ અહીં પ્રથમ વખત કમ્બ રામાયણમનું સાર્વજિનક પસંદ કર્યું હતું.
રામનાથસ્વામી એ ભગવાન શિવનું એક સ્વરૂપ છે એવી માન્યતા છે કે અહીં શિવલિંગની સ્થાપના ભગવાન રામ અને સીતાએ કરી હતી. આ મંદિર વાસ્તુશાસ્ત્રી દ્રષ્ટિમાં અનોખુ છે.