Homeધાર્મિકપુત્રદા એકાદશી 2024: 21...

પુત્રદા એકાદશી 2024: 21 જાન્યુઆરીએ પુત્રદા એકાદશી, જાણો પૌરાણિક કથાઓ અને વ્રતનો શુભ સમય.

અત્યારે પોષ મહિનો ચાલી રહ્યો છે. પોષ મહિનાના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ હોય છે. દર મહિનામાં બે વખત એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. એકાદશીનો પાવન દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે વિધિસર ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિની તમામ મનોકામના પૂરી થઈ જાય છે.

  • એકાદશી તિથિ પ્રારંભ- 20 જાન્યુઆરી 2024એ સાંજે 07:26
  • એકાદશી તિથિ સમાપન- 21 જાન્યુઆરી 2024એ સાંજે 07:26
  • પારણા (વ્રત ખોલવાનો) સમય- 22 જાન્યુઆરીએ સવારે 07:14 થી 09:21 વાગ્યા સુધી
  • પારણા તિથિના દિવસે બારસ સમાપન થવાનો સમય- સાંજે 07:51

એકાદશી વ્રતના પારણા પહેલા વ્રત કરનારે એકાદશી વ્રતની કથાનો પાઠ જરૂર કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે વ્રત કથાનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ મનોકામના પૂરી થઈ જાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પુત્રદા એકાદશીની કથા દ્વાપર યુગના મહિષ્મતી નામના રાજ્ય અને તેમના રાજા સાથે જોડાયેલી છે. પૌરાણિક કથાઓ અનુસાર મહિષ્મતી નામના રાજ્ય પર મહાજિત નામના એક રાજા શાસન કરતા હતા. આ રાજાની પાસે વૈભવની કોઈ અછત નહોતી, પરંતુ તેમને કોઈ સંતાન નહોતુ. જે કારણે રાજા પરેશાન રહેતા હતા. રાજા પોતાની પ્રજાનું પણ પૂરતું ધ્યાન રાખતા હતા.

સંતાન ન હોવાના કારણે રાજાને નિરાશા ઘેરવા લાગી. ત્યારે રાજાએ ઋષિ મુનિઓનું શરણ લીધું. જે બાદ રાજાને એકાદશી વ્રત વિશે જણાવવામાં આવ્યું હતું. રાજાએ વિધિસર એકાદશી વ્રત પૂર્ણ કર્યું અને નિયમથી વ્રતના પારણા કર્યા. થોડો સમય પસાર થયા બાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ભવિષ્યમાં રાજાનો પુત્ર શ્રેષ્ઠ રાજા બન્યો.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...