નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ ગત વર્ષે ચંદ્રયાન-3ને ચાંદની ધરતી પરના દક્ષિણ ધ્રુવમાં સફળતાપુર્વક લેન્ડીંગ કરાવી સતત 14 દિવસ માટે સંશોધન સહિતની કામગીરીમાં સફળતા મેળવ્યા બાદ સુર્ય ભણી રવાના કરાયેલા આદીત્ય-એલ-વન પણ જે તેની સૂર્ય સામેની તેની અંતિમ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે.
ગત વર્ષે તા.2 સપ્ટે.ના રોજ શ્રી હરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટરથી રવાના કરાયેલા આદીત્ય-એલ-વન જે પૃથ્વી અને સૂર્યના ગુરૂત્વાકર્ષણના વચ્ચેના સંતુલનવાળા પોઈન્ટ લેગ્રેજ-વન પર સ્થાપીત થશે.
આ પોઈન્ટ એ સુર્યની સૌથી નજીકનો પોઈન્ટ છે અને કોઈ અવરોધ કે ગ્રહણ વગર અહીથી અને તે સફળતા મેળવનાર ભારત વિશ્વનો ત્રીજો દેશ બની જશે.
આદિત્ય એલ-વન સાત પે-લોડથી સજજ છે અને તે તમામ સ્વદેશી ઉત્પાદનમાં જબરી ચાર પે-લોડ સીધા સુર્યની સામે જ રહેશે અને બાકીના ત્રણ આદીત્ય એલ-વનમાં સ્થિર થશે તેની આસપાસના વાતાવરણ વિના ડેટા પૃથ્વી પર મોકલશે. દેશની આ પ્રથમ સ્પેસમાં સોલાર નિરીક્ષણ પાન હશે અને તે હવે પૃથ્વીથી 1.50 લાખ કિમી દુર પહોંચી ગયું છે અને તેના આધારે સુર્ય અંગે વધુ માહિતી મેળવી શકાશે.
ઈસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આદિત્ય એલ-વનને હોલો-ઓર્બીટમાં મુકવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. જે કામગીરી બપોરે 4 વાગ્યે શરૂ થયુ છે અને જો તેમ થઈ શકે નહી તો આદીત્ય એલ-વન સૂર્ય ભણી તેનો પ્રવાસ ચાલુ રાખી અંતે તેની નજીક જઈને સળગી જશે.
ખાસ કરીને સુર્યની મધ્યમાંથી જ જે જવાળાઓ સતત નિકળે છે અને તેની પૃથ્વી પર અસર થાય છે તેનો થશે અને તેનાથી અપર સોલાર- વાતાવરણનો અભ્યાસ કરાશે.