હિંદૂ ધર્મમાં મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની પરંપરા- જ્યોતિષશાસ્ત્રમાં મંગળને બળવાન કરવાનાં વિશેષ ઉપાયો
- મંગળવારે સ્નાન પછી લાલ રંગના કપડાં પહેરવા
જ્યોતિષ શાસ્ત્રો અનુસાર મંગળવારનાં દિવસે હનુમાનજીની પૂજા કરવાથી કુંડળીમાં શનિદોષ સહિત અન્ય દોષોથી પણ મુક્તિ મળે છે. સ્વયં શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે તેમની પૂજા કરનારા સાધકોને ક્યારેય પણ શનિદેવ કષ્ટ નહીં પહોંચાડે.
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળગ્રહને મજબૂત કરવાનાં હેતુથી મંગળવારનાં દિવસે વિશેષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી મંગળદેવની વિશેષ કૃપા સાધક પર વરસે છે. શનિ અને મંગળ બંને મજબૂત કરવા માટે તમારે મંગળવારનાં દિવસે આ ઉપાયો કરવા જોઈએ:
- મંગળવારનાં દિવસે સ્નાન કરીને લાલ વસ્ત્ર ધારણ કરવા. આ બાદ તાંબાનાં પાત્રમાં જળ લેવું અને તેમાં કુમકુમ મૂકી સૂર્યદેવને પૂર્વ દિશામાં મુખ કરીને અર્પિત કરવું. આ ઉપાયથી કુંડળીમાં સૂર્ય અને મંગળ મજબૂત થાય છે.
- મંગળદેવની કૃપા મેળવવા માટે મંગળવારનાં દિવસે સ્નાન કર્યા બાદ વિધિ-વિધાનથી ઘરમાં હનુમાનજીનું પૂજન કરવું. હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો. ચણાનાં લોટનાં લાડ્ડૂ હનુમાનજીને અર્પિત કરવાં.
- કુંડળીમાં જો મંગળ નબળો હોય તો મંગળવારનાં દિવસે હનુમાનજીનું વિધિપૂર્વક પૂજન કરવું. આ બાદ જરૂરિયાત મંદોને લાલ રંગનાં વસ્ત્રો દાન કરવા. આ સિવાય લાલ મરચું અને મસૂર દાળ દાન કરવી.
- જો તમે કુંડળીમાં રહેલા અશુભ ગ્રહોની અસરને દૂર કરવા માંગો છો તો મંગળવારનાં દિવસે વ્રત કરો. ઓછામાં ઓછા 21 મંગળવાર સુધી આ વ્રત રાખવાં.આવું કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.