દિવાળી પર એટલે અમાસના રોજ દેવી લક્ષ્મીની પૂજા કરે છે, પરંતુ દિવાળીના એક દિવસ પહેલા, એટલે નાની દિવાળી પર કાળી માતાની પૂજાનું વિધાન છે. આ વર્ષે કાળી ચૌદસ 11 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. મોટા ભાગે દિવાળી પૂજા અને કાળી ચૌદસ એક જ દિવસે આવે છે. પંચાંગ અનુસાર, કાળી પૂજા અડધી રાતે જ કરવામાં આવે છે અમાસ પર કરવામાં આવે છે.
આ રીતે કરો સ્નાન
કાળી ચૌદસની પૂજા કરવાથી પહેલા અભ્યંગ સ્નાન(સૂર્યોદયના પહેલા શરીર પર ચણાનો લોટ લગાવી સ્નાન)કરવું જોઈએ માનવામાં આવે છે. ત્યાર બાદ શરીર પર પરફ્યુમ લગાવો અને માતા કાળીની વિધિવત રૂપે પૂજા કરો. એનાથી સાધનના જીવનમાં આવી રહેલી તમામ પ્રકારની બાધાઓ દૂર થાય છે.
વ્યવસાયમાં નહિ આવે બાધા
કાળી ચૌદસની રાત્રે એક પીળા કપડાંમાં હળદર, 11 હોમતી ચક્ર, ચાંદીના સિક્કા અને 11 કોળી બાંધી 108 વખત શ્રી લક્ષ્મી નારાયણ નમઃ મંત્રનો જાપ કરો. ત્યાર બાદ આ તમામને ધન સ્થાન અથવા તિજોરીમાં રાખે છે. એમાં તમારા વ્યવસાયમાં આવી રહેલી ઘણા પ્રકારની બાધા દૂર થાય છે.
નકારાત્મક ઉર્જા દૂર થશે
કાળી ચૌદસની પૂજા દરમિયાન કાલી માતાના ચરણોમાં લવિંગની જોડી અર્પણ કરો. આ ઉપાય કરવાથી સાધકની અંદર રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. સાથે જ મા કાલીને ચણાની દાળ અને ગોળ અર્પણ કરો.
આ મંત્રનો જાપ કરો
‘ઓમ ક્રીં ક્રીં હૂં હૂં હ્રીં હ્રીં દક્ષિણે કાલિકે ક્રીં ક્રીં હૂં હૂં હ્રીં હ્રીં સ્વાહા.
કાળી ચૌદસની પૂજા દરમિયાન માતા કાલીનું ધ્યાન કરતા આ મંત્રનો જરૂર જાપ કરો. આ કાળી માતાનો બીજ મંત્ર છે. આ 108 વખત કરવા જોઈએ. એનાથી શત્રુઓ નાશ થાય છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)