- કાળી ચૌદશે દરેક ગુજરાતી ઘરોમાં બને છે અડદની દાળના વડા
- આ દિવસે ઘરમાંથી કકળાટ કાઢવાનો છે રિવાજ
- આ માટે અડદની દાળના વડાનો કરાય છે ઉપયોગ
કાળીચૌદશના દિવસે ઘરમાંથી કંકાસ કાઢવાનો રિવાજ છે. આ દિવસે લોકો ઘરે અડદની દાળના અને અન્ય દાળના વડાં બનાવે છે અને તેને ઘરમાં ફેરવીને ચાર રસ્તા પર મૂકી આવે છે. આ ખાસ પ્રથાના આધારે આ દિવસે સાંજે લગભગ દરેક ગુજરાતી ઘરમાં વડાં બનાવવાનો રિવાજ છે.
અડદ જેટલા પૌષ્ટિક છે તેટલી તેની વાનગી પણ આપણા માટે ખુબ હેલ્ધી છે. અડદની દાળમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલા છે. રોજે રોજ અડદની દાળ ખાવી તો શકય નથી પણ આ જ દાળને અવનવી વાનગીઓમાં ફેરવી દેવામાં આવે તો નવો ટેસ્ટ પણ માણી શકશો.
સામગ્રી
250 ગ્રામ અડદની દાળ
2 નંગ લીલા મરચા
1/2 ચમચી જીરું
50 ગ્રામ બેસન
થોડા ધાણા, તેલ
મીઠું સ્વાદ મુજબ
રીત
વડા બનાવવાના બે કલાક પહેલા અડદની દાળને પલાળી દો. પલાળેલી દાળને વાટી લેવાથી વડા સોફ્ટ બને છે. જ્યારે દાળ વાટી લો ત્યારે તેમાં બેસન જીરું, થોડું તેલ અને કાપેલા ધાણા નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો.
નોંધ- ખીરું બની ગયા બાદ પહેલાં વડા તળાઈ જ્યારે ત્યારે પ્રથાના આધારે મૂકવાના 5 વડા કાઢી લો અને પછી બાકીના વડાના દહીંવડા બનાવીને મજા માણો.